દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે ધર્મશાલામાં રમાઈ રહેલી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ બીમારીના કારણે રમી રહ્યો નથી. જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અંગત કારણોસર ત્રીજી ટી20 મેચમાંથી બહાર છે. સૂર્યકુમાર યાદવે ટોસ દરમિયાન જણાવ્યું કે આ બે ખેલાડીઓની જગ્યાએ હર્ષિત રાણા અને કુલદીપ યાદવને તક મળી છે. દક્ષિણ આફ્રિકાએ પણ ત્રણ ફેરફારો કર્યા છે, જેમાં કોર્બીન બોશ, એનરિક નોર્કિયા અને ટ્રિસ્ટન સ્ટબ્સનો સમાવેશ થાય છે.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું કે વિકેટ સારી લાગે છે, મને નથી લાગતું કે તેમાં બહુ ફેરફાર થશે. પછી ઝાકળ પડશે, તેથી અમે પહેલા બોલિંગ કરીશું. પિચ સારી દેખાઈ રહી છે. ટીમમાં બે ફેરફાર છે, અક્ષર પટેલ અને જસપ્રિત બુમરાહ બહાર છે. હર્ષિત રાણા અને કુલદીપ યાદવને ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. બુમરાહે પ્રથમ બે મેચમાં બે વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે બે મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન માર્કરામે કહ્યું કે તે ખૂબ જ ઠંડી છે, તે એક સુંદર જગ્યા છે. આજે રાત્રે સારું પ્રદર્શન કરવું મહત્વપૂર્ણ છે. તે એક પડકાર છે. આશા છે કે અમે સારો સ્કોર કરીશું. અમે અહીં કેટલીક મેચ રમી છે, છોકરાઓ ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે ટીમમાં ત્રણ ફેરફાર છે. પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર છે.
બંને ટીમો આ પ્રમાણે છે:-
ઈન્ડિયા ઈલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી.
સાઉથ આફ્રિકા XI:- રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડી કોક (wk), એઈડન માર્કરામ (કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડોનોવન ફરેરા, માર્કો જોહ્ન્સન, કોર્બિન બોશ, એનરિક નોર્ટજે, લુંગી એનગીડી અને ઓટનીએલ બાર્ટમેન.

