ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનેઈ 28 ફેબ્રુઆરી 2026ના રોજ હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. તેમના પુત્ર અને વર્તમાન સર્વોચ્ચ નેતા મુજતબા ખમેની પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ અનુસાર, તેમના આંતરિક વર્તુળના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે હુમલામાં મુજતબાનો ચહેરો ખરાબ રીતે ઘાયલ થયો હતો અને તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેનો પગ પણ કપાઈ ગયો હતો.
યુએસ ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ અનુસાર, મુજતબાએ પોતાનો એક પગ ગુમાવ્યો છે. તેના ચહેરા પર ઊંડા ઘા છે. આ જ કારણે 8મી માર્ચે તેમની નિમણૂક બાદ તેમનો કોઈ ફોટો કે વીડિયો સાર્વજનિક કરવામાં આવ્યો નથી.
સૂત્રોનું કહેવું છે કે તે સંપૂર્ણપણે માનસિક રીતે સક્રિય છે. તેઓ ઓડિયો કોન્ફરન્સિંગ દ્વારા વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે અને ઇસ્લામાબાદમાં યોજાનારી યુદ્ધ અને શાંતિ મંત્રણા જેવા મોટા નિર્ણયો લઈ રહ્યા છે. ઈરાની મીડિયાએ તેમને યોદ્ધા તરીકે ઓળખાવ્યા છે, જે તેમની ઈજાઓની સત્તાવાર પુષ્ટિ દર્શાવે છે.

