ઈરાને પાકિસ્તાનમાં મંત્રણા પહેલા પોતાના ઈરાદા જાહેર કરી દીધા છે. સર્વોચ્ચ નેતા મોજતબા ખમેનીનું કહેવું છે કે હુમલાખોરોને સજા થયા વિના છોડવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ઈરાન શહીદો માટે બ્લડ મની પણ માંગશે. આ સિવાય પણ તેમણે અનેક માંગણીઓ રજૂ કરી છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે બે સપ્તાહનો યુદ્ધવિરામ થઈ ગયો છે અને પાકિસ્તાનમાં વધુ વાતચીત થવાની છે.
ખમેનીએ આ યુદ્ધમાં ઈરાનની જીત જાહેર કરી છે. તેમણે કહ્યું, ‘આજ સુધીની સ્થિતિને જોતા સ્પષ્ટપણે કહી શકાય છે કે તમે, ઈરાનના બહાદુર લોકો, આ ક્ષેત્રમાં વાસ્તવિક વિજેતા રહ્યા છો.’
આ માંગણીઓ કરવામાં આવી છે
ખામેનીએ કહ્યું, ‘અમે કોઈપણ સંજોગોમાં અપરાધી હુમલાખોરોને છોડશું નહીં. અમે દરેક ઈજાનું વળતર, શહીદો માટે બ્લડ મની અને આ યુદ્ધમાં અપંગ થયેલા જવાનો માટે વળતર ચોક્કસપણે લઈશું. તે જ સમયે, અમે ચોક્કસપણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝના સંચાલનને નવા સ્તરે લઈ જઈશું. તેમણે સ્પષ્ટ કર્યું છે કે અસ્થાયી યુદ્ધવિરામનો અર્થ યુદ્ધનો અંત નથી.
ઈરાને લેબનોનની શરત રાખી
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે લેબનોનમાં ઈઝરાયેલના હુમલાઓને તાત્કાલિક રોકવું એ પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ લાગુ કરવા માટે એક મહત્વપૂર્ણ શરત છે. તેમણે કહ્યું કે ઈરાનની 10-પોઈન્ટ યોજના હેઠળ પ્રસ્તાવિત યુદ્ધવિરામ ‘ઈરાની નેતૃત્વ અને લોકોના બલિદાનનું પરિણામ છે’. તેમણે કહ્યું કે હવે દેશ કૂટનીતિ, સંરક્ષણ અને જનભાગીદારીના સ્તરે એકજૂટ રહેશે.

