ISROનું આગામી મિશન આદિત્ય-L1, હવે સૂર્યને વધુ નજીકથી જાણશે
ડિજિટલ ડેસ્ક ભારત હવે ચંદ્ર પર પહોંચી ગયું છે. દેશનું ચંદ્રયાન-3 સફળ રહ્યું છે. તેથી હવે ISRO તેના આગામી મિશન તરફ વળ્યું છે. ISROની ટીમ આદિત્ય-L1 પર કામ કરી રહી છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ ઈસરોએ તેના સૂર્ય મિશન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
ISRO દ્વારા આદિત્ય-L1 મિશનને લઈને એક જાહેરાત કરવામાં આવી છે. આદિત્ય-એલ1 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે લોન્ચ થશે. આ મિશનને લાઈવ જોવા માટે ખાસ સ્કીમ લાવવામાં આવી છે. ISRO હવે નોંધણી વિન્ડો પણ ખોલવા જઈ રહ્યું છે. આ વિન્ડો 29 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે ખુલશે. અને ઈસરો વતી કહેવામાં આવ્યું છે કે જે કોઈ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા ઈચ્છે છે તેણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ.
આદિત્ય-L1 મિશન કાર્ય…