ભારતીય ક્રિકેટ બોર્ડે દક્ષિણ આફ્રિકા સામેની આગામી વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. કેએલ રાહુલ ટીમના કેપ્ટન હશે. ઈજાના કારણે નિયમિત કેપ્ટન શુભમન ગિલ આ શ્રેણીનો ભાગ નથી. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ટીમનો ભાગ છે. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ વનડે 30 નવેમ્બરે રાંચીમાં રમાશે. બીજી અને ત્રીજી મેચ 3 અને 6 ડિસેમ્બરે રાયપુર અને વિશાખાપટ્ટનમમાં રમાશે.
સિનિયર બેટ્સમેન કેએલ રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેએલ રાહુલે 2022 અને 2023માં 12 ODIમાં ભારતીય ODI ટીમનું નેતૃત્વ કર્યું છે. નિયમિત કેપ્ટન શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ગરદનમાં ઈજા થઈ હતી. જે બાદ તે બીજી ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો હતો અને હવે શુભમન ગિલ પણ ગરદનની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ છે. ગયા મહિને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેને વનડે ટીમમાં સ્થાન મળ્યું ન હતું. તેણે અક્ષર પટેલની જગ્યા લીધી છે, જેને કદાચ આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આ શ્રેણી માટે વાઇસ કેપ્ટન હશે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમમાં તિલક વર્મા, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા અને રૂતુરાજ ગાયકવાડનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજ આ વખતે ટીમમાં નથી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ભારતીય ODI ટીમ
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન) (વિકેટ કીપર), ઋષભ પંત (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ઋતુરાજ ગાયકવાડ, અરૃદીપ સિંહ, પ્રસિદ્ધ સિંહ, કૃષ્ણા.

