ભારતીય પ્લેઈંગ ઈલેવનનો સૌથી મોટો ચર્ચાનો મુદ્દો કુલદીપ યાદવ છે. પર્થ અને એડિલેડમાં પણ કુલદીપ યાદવને રમવાની ચર્ચા હતી. તેને ત્યાં તક મળી ન હતી. પરંતુ છેલ્લી બે હારમાંથી બોધપાઠ લેતા ટીમ ઈન્ડિયાએ કુલદીપને સિડનીમાં ન રમવાની ભૂલ કરી ન હતી. કુલદીપે આ વર્ષે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની છેલ્લી ODI મેચ રમી હતી, જ્યાં તે 5 મેચમાં 7 વિકેટ લઈને ભારતનો બીજો સૌથી સફળ બોલર હતો.
સિડની વનડેમાં નીતિશ રેડ્ડીની જગ્યાએ કુલદીપ યાદવને તક મળી છે. ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેલો અન્ય એક ખેલાડી છે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ. અર્શદીપની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે.
ભારત-
ભારત અને ઓસ્ટ્રેલિયા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 20મી વખત એકબીજા સામે ODI મેચ રમવા આવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ આ પહેલા રમાયેલી 19 વનડેમાંથી 16માં જીત મેળવી છે. જ્યારે ભારત માત્ર 2 મેચમાં સફળ રહ્યું છે. જ્યારે બંને ટીમો વચ્ચે 1 મેચ અનિર્ણિત રહી છે. ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં તેની 70 ટકા મેચ જીતી છે. જ્યારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ODIમાં ભારતની જીતની ટકાવારી 11 છે.

