બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત ‘કોર્ટ ઓફ કેસેશન’ એ ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીની ધરપકડ સામે દાખલ કરેલી અપીલને ફગાવી દીધી છે. આ નિર્ણય ભારતની તરફેણમાં ગયો છે અને હવે ચોકસીના પ્રત્યાર્પણની ઔપચારિક પ્રક્રિયા બેલ્જિયમમાં આગળ વધી શકે છે. આ કેસ સાથે જોડાયેલા અધિકારીઓએ મંગળવારે તેની પુષ્ટિ કરી.
બ્રસેલ્સમાં સુનાવણી દરમિયાન, કોર્ટે એન્ટવર્પ કોર્ટ ઓફ અપીલ દ્વારા 17 ઓક્ટોબરના ચુકાદાને સમર્થન આપ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ચોકસીની દલીલ કે જો તેને ભારત મોકલવામાં આવે તો તેને ત્રાસ થવાનું જોખમ છે તે પાયાવિહોણું છે. બ્રસેલ્સના એડવોકેટ જનરલ હેનરી વેન્ડરલિન્ડને ઈમેલ દ્વારા જણાવ્યું – સુપ્રીમ કોર્ટે ચોક્સીની અપીલ ફગાવી દીધી છે. તેથી નીચલી અદાલતનો નિર્ણય જ અસરકારક રહેશે.
મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાં 13000 કરોડ રૂપિયાના કથિત કૌભાંડના મામલામાં ભારત પ્રત્યાર્પણને પડકાર્યું હતું. એન્ટવર્પની અપીલ કોર્ટે ચોકસીના પ્રત્યાર્પણ માટેની ભારતની વિનંતીને માન્ય રાખી હતી અને તેને લાગુ પાડી શકાય તેવું જાહેર કર્યું હતું.
એન્ટવર્પમાં અપીલ કોર્ટની ચાર સભ્યોની પ્રોસિક્યુશન ચેમ્બરને 29 નવેમ્બર, 2024ના રોજ જિલ્લા અદાલતની ‘પ્રી-ટ્રાયલ ચેમ્બર’ દ્વારા જારી કરાયેલા આદેશોમાં કોઈ ખામી જોવા મળી નથી. જિલ્લા અદાલતે મે 2018 અને જૂન 2021માં મુંબઈની વિશેષ અદાલત દ્વારા જારી કરાયેલા ધરપકડના વોરંટને અમલમાં મૂકવા યોગ્ય જાહેર કર્યા હતા અને વધારાની મંજૂરી આપી હતી.
એન્ટવર્પ કોર્ટનો નિર્ણય કેમ સાચો માનવામાં આવ્યો?
ઑક્ટોબરમાં એન્ટવર્પ કોર્ટ ઑફ અપીલે ચોક્સીની દલીલોને ફગાવી દેતાં કહ્યું:

