કાઠમંડુ: નેપાળમાં ગઈકાલે એક માર્ગ અકસ્માતમાં સાત ભારતીય તીર્થયાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા કારણ કે બસ પર્વત પરથી લપસીને ખીણમાં પડી હતી. અહેવાલો અનુસાર, મૃતકોમાં બે મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે, જેમાં મુથુ કુમાર (58), અનામાલિક (58), મીનાક્ષી (59), શિવગામી (53), વિજયલ (57), મીના (58) અને તમિલરાસી (60) છે. આ તમામ ભારતીય નાગરિક હતા અને પ્રાર્થના કરવા મનકામના ગયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે બસ ચલાવતો ડ્રાઈવર અકસ્માતમાં બચી ગયો હતો, જ્યારે કંડક્ટરને ઈજા થઈ હતી. આ અકસ્માત નેપાળ રાજધાનીથી 120 કિલોમીટર દૂર શહીદ લખન ગામ પાસે આ ઘટના બની હતી. ભારતીય યાત્રાળુઓને લઈ જતી બસ ઢાળ પરથી નીચે જઈ રહી હતી. વળાંકવાળા રસ્તા અને જમણો વળાંક લેવાના નિષ્ફળ પ્રયાસને કારણે, બસ લપસીને ખીણમાં પડી હતી, જે પર્વત ઢોળાવથી લગભગ 150 મીટર નીચે હતી.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

