પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ અંડર-19 એશિયા કપની ફાઈનલ દરમિયાન ભારતીય ખેલાડીઓ પર ઉશ્કેરણીજનક વર્તનનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તેઓ આ અંગે ICCને ઔપચારિક રીતે જાણ કરવા પર વિચાર કરી રહ્યા છે.
દુબઈમાં રવિવારે રમાયેલી આ મહાદ્વીપીય ટૂર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 191 રનથી હરાવ્યું હતું.
મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. મેચ પહેલા અને પછી બંને ટીમોએ હાથ પણ મિલાવ્યો ન હતો.
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ દ્વારા આયોજિત રિસેપ્શનમાં બોલતા નકવીએ કહ્યું, ‘અંડર-19 એશિયા કપની ફાઈનલ દરમિયાન ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓને ઉશ્કેરતા રહ્યા.’
તેણે આગળ કહ્યું, ‘પાકિસ્તાન આ ઘટના અંગે ICCને ઔપચારિક રીતે જાણ કરશે. રાજકારણ અને રમતગમતને હંમેશા અલગ રાખવા જોઈએ.

