પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલાને પગલે સુરક્ષાની ચિંતાઓને કારણે શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામેની T20 ત્રિકોણીય શ્રેણીના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે.
નવા શિડ્યુલ મુજબ, આ શ્રેણી હવે 17 નવેમ્બરના બદલે 18 નવેમ્બરથી શરૂ થશે. તેની બીજી મેચ પણ એક દિવસ પછી 20મી નવેમ્બરે રમાશે. આ સિવાય ટૂર્નામેન્ટની તમામ મેચો રાવલપિંડીમાં આયોજિત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ, લાહોરમાં આ સ્પર્ધાની પાંચ મેચોની યજમાની કરવાની હતી. આમાં 29 નવેમ્બરે યોજાનારી ફાઇનલનો સમાવેશ થાય છે, પરંતુ ત્રણેય બોર્ડ હવે માત્ર રાવલપિંડીમાં જ મેચ યોજવા માટે સંમત થયા છે.
પીસીબીએ એક નિવેદનમાં કહ્યું, ‘શિડ્યુલમાં ફેરફાર કરવાનો નિર્ણય શ્રીલંકા ક્રિકેટ (SLC) અને ઝિમ્બાબ્વે ક્રિકેટ (ZC) સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે.’
શ્રીલંકાની ટીમ ચાલુ વનડે શ્રેણીમાં રમવાનું ચાલુ રાખે તે સુનિશ્ચિત કરવા માટે રાતભર ચર્ચા કર્યા બાદ PCBએ આ નિવેદન બહાર પાડ્યું હતું.

