
સોમનાથ સ્વાભિમાન ઉત્સવ: સોમનાથ પહોંચતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે તેઓ ધન્યતા અનુભવે છે.

પીએમ મોદીએ સોમનાથને ભારતના સભ્યતાના સાહસ અને ગૌરવનું પ્રતીક ગણાવ્યું હતું અને લોકોના ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

સોમનાથ સ્વાભિમાન ઉત્સવ દરમિયાન વડાપ્રધાને મંદિરમાં આયોજિત ઓમકાર મંત્રના સામૂહિક જાપમાં ભાગ લીધો હતો.

72 કલાક સુધી ચાલી રહેલા ઓમ મંત્રના જાપ વચ્ચે રાત્રે સોમનાથ મંદિર પર ભવ્ય આતશબાજી જોવા મળી હતી.

1026માં મંદિર પર થયેલા પ્રથમ હુમલાના 1000 વર્ષ પૂરા થયા તે નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 9.45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે.

શૌર્ય યાત્રામાં ગુજરાત પોલીસના 108 અશ્વોની પ્રતિકાત્મક શોભાયાત્રા કાઢવામાં આવશે, જે બહાદુરી અને બલિદાનનું પ્રતિક છે.

PM મોદી સવારે 10:15 વાગ્યે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે અને સવારે 11 વાગ્યે સ્વાભિમાન પર્વના જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.
