તેમની પાર્ટી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ આંદોલન ચલાવી રહી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ જેલમાં ઈમરાનની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહી છે. આ દરમિયાન તહરીક-એ-ઈન્સાફ સાથે જોડાયેલા સેનેટર ખુર્રમ જીશાને મોટો દાવો કર્યો છે. ખુર્રમ જીશાને કહ્યું છે કે પાકિસ્તાન સરકાર ઈમરાન ખાન સાથે ડીલ કરવામાં વ્યસ્ત છે. પાકિસ્તાનની શાહબાઝ સરકાર ઈમરાન પર દેશ છોડવા માટે દબાણ કરી રહી છે.
રાહતોનું વચન
પીટીઆઈ નેતાએ વધુમાં કહ્યું કે સરકાર ઈમરાન ખાનને છૂટ આપવાનું પણ વચન આપી રહી છે. તેમને વિદેશ જવા અથવા પાકિસ્તાનમાં તેમની પસંદગીના સ્થળે શાંતિથી રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, પરંતુ ઈમરાન ખાન આ બાબતો સાથે ક્યારેય સહમત નહીં થાય. તે જે પ્રકારનો નેતા છે, તે આ ક્યારેય સ્વીકારશે નહીં. અમારી પાસે વિરોધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
દીકરાએ શું માગ્યું?
તમને જણાવી દઈએ કે આ પહેલા પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પુત્રએ સરકાર પાસે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સંસ્થાપક જીવિત હોવાના પુરાવા રજૂ કરવાની માંગ કરી હતી. એવી અટકળો છે કે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન (73)ની જેલમાં જ હત્યા કરવામાં આવી છે, કારણ કે છેલ્લા એક મહિનાથી તેના પરિવારના સભ્યો કે તેના વકીલો અને પક્ષના લોકોને મળવાની મંજૂરી આપવામાં આવી નથી.
ખાન અનેક આરોપોમાં બે વર્ષથી વધુ સમયથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. ખાનની ત્રણ બહેનો, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના કાર્યકરો અને ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન સોહેલ આફ્રિદી છેલ્લા કેટલાક દિવસોથી અદિયાલા જેલની બહાર પડાવ નાખી રહ્યા છે અને શાહબાઝ શરીફ સરકાર પર દબાણ કરી રહ્યા છે કે તેઓ ખાનના પરિવારના સભ્યોને મળવા દે.

