આસામ કોંગ્રેસના અધ્યક્ષ ગૌરવ ગોગોઈ સામેના કથિત આરોપોના સંદર્ભમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાજકારણમાં બે પ્રકારના નેતાઓ હોય છે – એક જેઓ સકારાત્મક મુદ્દાઓ પર વાત કરે છે અને બીજા જેઓ સમાજના ધ્રુવીકરણનો પ્રયાસ કરે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે હાલમાં રાજ્યમાં ધ્રુવીકરણની રાજનીતિ ચાલી રહી છે, જ્યારે જનતા રોજગાર, યુવાનો અને મહિલાઓને લગતા મુદ્દાઓ પર જવાબ માંગે છે.
પ્રિયંકા ગાંધી દિવંગત ગાયક ઝુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ આપવા ગુવાહાટીની બહાર સોનપુર સ્થિત ‘ઝુબીન ક્ષેત્ર’ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ઝુબીન ગર્ગ “રાજકારણથી ઉપર” હતા અને તેમના સ્મારક સ્થળનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે થવો જોઈએ નહીં.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ રાજ્યમાં આગામી ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. પાર્ટી નેતૃત્વનું કહેવું છે કે તે રાજ્યમાં સંગઠન અને ચૂંટણી રણનીતિને મજબૂત કરવા માટે ગંભીર છે.

