T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝમાંથી એક મહત્વપૂર્ણ ખેલાડીને બહાર કરી દેવામાં આવ્યો છે, જે છેલ્લા વર્ષથી T20 ટીમનો નિયમિત સભ્ય છે.
આ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ડાબોડી બેટ્સમેન તિલક વર્મા આ મહિને રમાનારી ન્યુઝીલેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓ માટે આ T20 સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ એશિયા કપ 2025ના ફાઈનલના હીરો અને નંબર 3 બેટ્સમેન તિલક વર્માને પેટમાં ઈજા થઈ છે, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની T20I શ્રેણીમાંથી બહાર થવાના આરે છે. આ અંગેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વિજય હજારે ટ્રોફી 2026ની મેચ પહેલા તિલક વર્મા પીડામાં જોવા મળ્યા હતા. તે ભારતીય ટીમનો પણ એક ભાગ છે, જે T20 વર્લ્ડ કપ 2026 પહેલા 21 જાન્યુઆરીથી 5 મેચની T20 શ્રેણી રમવા જઈ રહી છે. પ્રથમ મેચ 21 જાન્યુઆરીએ નાગપુરમાં રમાશે. ભારતીય ટીમને આ શ્રેણી માટે તિલક વર્માના સ્થાને ખેલાડીની જરૂર પડશે. જો કે, એવું માનવામાં આવે છે કે તે 7 ફેબ્રુઆરીથી શરૂ થનારી મેગા ઈવેન્ટ માટે ફિટ થઈ શકે છે. તિલક રાજકોટમાં વિજય હજારે ટ્રોફી રમી રહ્યો હતો ત્યારે બુધવારે સવારે નાસ્તો કર્યા પછી તેને પેટમાં દુખાવો થયો હતો. તેણે બેંગલુરુમાં સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)ના ડૉક્ટરોની સલાહ લીધી. ભારતીય બોર્ડના એક સૂત્રએ પુષ્ટિ આપી હતી કે, “તિલકને આજે (બુધવારે) પેટમાં તીવ્ર દુ:ખાવો થયો હતો. તેને તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ઘણા બધા સ્કેન કરવામાં આવ્યા હતા અને રિપોર્ટ COE ડૉક્ટરોને મોકલવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેને સર્જરી કરાવવાની સલાહ આપી છે, જેનાથી તેને સાજા થવામાં ત્રણથી ચાર અઠવાડિયા લાગશે. ન્યૂઝીલેન્ડ સામે આખી T20 સિરીઝ રમવાની તેની શક્યતાઓ ઓછી લાગે છે.”
ભારતીય ટીમ મેનેજમેન્ટ કદાચ 7 ફેબ્રુઆરીથી શરૂ થતા T20 વર્લ્ડ કપ 2026માં તેની ઉપલબ્ધતા અંગે વધુ ચિંતિત હશે. ભારતની પ્રથમ મેચ ટૂર્નામેન્ટના શરૂઆતના દિવસે જ યુએસએ સામે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તપાસમાં ટેસ્ટિક્યુલર ટોર્સિયનની પુષ્ટિ થઈ છે, જેના માટે સર્જરી પણ કરવામાં આવી છે અને હવે તેમની સ્થિતિ સ્થિર છે. જોકે, તેની રિકવરી અને રિટર્ન અંગેની વધુ માહિતી સત્તાવાર રીતે આપવામાં આવશે.
આ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ડાબોડી બેટ્સમેન તિલક વર્મા આ મહિને રમાનારી ન્યુઝીલેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓ માટે આ T20 સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ એશિયા કપ 2025ના ફાઈનલના હીરો અને નંબર 3 બેટ્સમેન તિલક વર્માને પેટમાં ઈજા થઈ છે, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની T20I શ્રેણીમાંથી બહાર થવાના આરે છે. આ અંગેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વિજય હજારે ટ્રોફી 2026ની મેચ પહેલા તિલક વર્મા પીડામાં જોવા મળ્યા હતા. તે ભારતીય ટીમનો પણ એક ભાગ છે, જે T20 વર્લ્ડ કપ 2026 પહેલા 21 જાન્યુઆરીથી 5 મેચની T20 શ્રેણી રમવા જઈ રહી છે. પ્રથમ મેચ 21 જાન્યુઆરીએ નાગપુરમાં રમાશે. ભારતીય ટીમને આ શ્રેણી માટે તિલક વર્માના સ્થાને ખેલાડીની જરૂર પડશે. જો કે, એવું માનવામાં આવે છે કે તે 7 ફેબ્રુઆરીથી શરૂ થનારી મેગા ઈવેન્ટ માટે ફિટ થઈ શકે છે. તિલક રાજકોટમાં વિજય હજારે ટ્રોફી રમી રહ્યો હતો ત્યારે બુધવારે સવારે નાસ્તો કર્યા પછી તેને પેટમાં દુખાવો થયો હતો. તેણે બેંગલુરુમાં સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)ના ડૉક્ટરોની સલાહ લીધી. ભારતીય બોર્ડના એક સૂત્રએ પુષ્ટિ આપી હતી કે, “તિલકને આજે (બુધવારે) પેટમાં તીવ્ર દુ:ખાવો થયો હતો. તેને તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ઘણા બધા સ્કેન કરવામાં આવ્યા હતા અને રિપોર્ટ COE ડૉક્ટરોને મોકલવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેને સર્જરી કરાવવાની સલાહ આપી છે, જેનાથી તેને સાજા થવામાં ત્રણથી ચાર અઠવાડિયા લાગશે. ન્યૂઝીલેન્ડ સામે આખી T20 સિરીઝ રમવાની તેની શક્યતાઓ ઓછી લાગે છે.”
ભારતીય ટીમ મેનેજમેન્ટ કદાચ 7 ફેબ્રુઆરીથી શરૂ થતા T20 વર્લ્ડ કપ 2026માં તેની ઉપલબ્ધતા અંગે વધુ ચિંતિત હશે. ભારતની પ્રથમ મેચ ટૂર્નામેન્ટના શરૂઆતના દિવસે જ યુએસએ સામે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તપાસમાં ટેસ્ટિક્યુલર ટોર્સિયનની પુષ્ટિ થઈ છે, જેના માટે સર્જરી પણ કરવામાં આવી છે અને હવે તેમની સ્થિતિ સ્થિર છે. જોકે, તેની રિકવરી અને રિટર્ન અંગેની વધુ માહિતી સત્તાવાર રીતે આપવામાં આવશે.
