ક્રિકેટ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ગુવાહાટીમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને શ્રેણીમાં હારથી બચવા ઈચ્છશે, પરંતુ વિશ્વ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખીને ક્લીન સ્વીપ પૂર્ણ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે આ મેચમાં રમી શકશે નહીં. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી વધુ મુશ્કેલ દેખાઈ રહી છે. જો ભારતીય ટીમ આ મેચ હારી જશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે જશે.
ટીમ ઈન્ડિયાની હારનો ફાયદો પાકિસ્તાનને
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનની ટીમ પાંચમા અને ટીમ ઈન્ડિયા ચોથા સ્થાન પર છે. પાકિસ્તાને બે મેચ રમી છે અને એકમાં તેણે જીત મેળવી છે, જ્યારે બીજી મેચ હારી છે. ગ્રીન આર્મી પોઈન્ટ્સના મામલામાં ટીમ ઈન્ડિયાથી ઘણી પાછળ છે, પરંતુ જીતની ટકાવારીના મામલે તે ટીમ ઈન્ડિયાની નજીક છે. તેમની જીતની ટકાવારી 50 છે, જ્યારે ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 54 છે. ગુવાહાટીમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 50 થઈ જશે.
ડબલ્યુટીસીના ઈતિહાસમાં આવું પહેલીવાર થશે!
ભારતીય ટીમ અત્યાર સુધી આઠ મેચ રમી છે જેમાંથી ચારમાં તેણે જીત, ત્રણમાં હાર અને એક મેચ ડ્રો રહી છે. આ રીતે તેમની જીતની ટકાવારી 54.17 છે, પરંતુ ગુવાહાટી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમની જીતની ટકાવારી 50 થઈ જશે. પાકિસ્તાન કરતા વધુ મેચ હારવાને કારણે તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને સરકી જશે. જો આવું થશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનથી નીચે સરકી જશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ આ ચક્રમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી અને 100 ટકા સાથે પ્રથમ સ્થાને છે. વિશ્વ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા 3માંથી 2 મેચ જીતીને બીજા સ્થાને છે. તેની જીતની ટકાવારી 66.67 છે. શ્રીલંકાએ બેમાંથી એક મેચ જીતી છે અને એક ડ્રો રહી છે. આ રીતે તેની જીતની ટકાવારી 66.67 છે. ઈંગ્લેન્ડની ટીમે પાંચમાંથી બે મેચ જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની જીતની ટકાવારી 43.33 છે.

