પટના: મહાગઠબંધન એ બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. આ દસ્તાવેજને ‘તેજસ્વી પ્રાણ’ નામ આપવામાં આવ્યું છે. તેજસ્વી યાદવ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડા, CPI (ML)ના જનરલ સેક્રેટરી દીપાંકર ભટ્ટાચાર્ય અને VIP પાર્ટીના વડા મુકેશ સાહની મેનિફેસ્ટો રિલીઝ કરવા માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા.
આ જોડાણે રોજગાર, મહિલાઓ, ખેડૂતો અને લઘુમતીઓને લઈને ઘણી મોટી જાહેરાતો કરી છે. મહાગઠબંધન એનડીએ સરકાર પર 20 વર્ષની નિષ્ફળતા, બેરોજગારી, સ્થળાંતર અને અન્યાયનો આરોપ લગાવ્યો છે. તેમજ તમામ જીવિકા દીદીઓને કાયમી કરવામાં આવશે અને તેમને સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવામાં આવશે.
ભાજપ અને નીતીશ કુમારની જેડીયુ, જે ગઠબંધન સાથી છે, તેઓએ હજુ સુધી તેમનો મેનિફેસ્ટો બહાર પાડ્યો નથી. વિપક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે રાજ્યમાં દરેક પરિવારના એક સભ્યને કૌશલ્ય આધારિત રોજગાર અને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે.

