નવી દિલ્હીટાટા સન્સની એરલાઇન એર ઇન્ડિયાએ મંગળવારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ઇંધણ સરચાર્જ વધારવાની જાહેરાત કરી છે. તેનું કારણ વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલના ભાવમાં વધારો છે. નવો સરચાર્જ 8 એપ્રિલથી લાગુ થશે.
એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવમાં 25 ટકાના વધારાને સીમિત કર્યા પછી, તે સ્થાનિક રૂટ પર ફ્લેટ સરચાર્જ લાદવાને બદલે અંતર આધારિત ભાવ નિર્ધારણ મોડલને અનુસરશે.
ડોમેસ્ટિક ફ્લાઇટ પર, મુસાફરોએ 500 કિમી સુધીની ફ્લાઇટ માટે 299 રૂપિયા, 501 થી 1000 કિમી માટે 399 રૂપિયા, 1001 થી 1500 કિમી માટે 549 રૂપિયા, 1501 થી 2000 કિમી માટે 749 રૂપિયા અને 892 કિમીથી વધુ અંતર માટે 899 રૂપિયાનો ફ્યુઅલ સરચાર્જ ચૂકવવો પડશે. આ નવા ભાડા 8 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યાથી લાગુ થશે.
આંતરરાષ્ટ્રીય રૂટ માટે, એર ઈન્ડિયાએ સેક્ટર-વિશિષ્ટ સરચાર્જ રજૂ કર્યા છે. બાંગ્લાદેશને બાદ કરતાં સાર્ક દેશોની ફ્લાઇટ્સ પર $24નો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે, જ્યારે પશ્ચિમ એશિયાના રૂટ પર $50નો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે.
ચીન અને દક્ષિણપૂર્વ એશિયાઈ સ્થળો (સિંગાપોર સિવાય)ની ફ્લાઈટ્સ માટે વધારાના $100 ચાર્જ કરવામાં આવશે, જ્યારે સિંગાપોરની ફ્લાઈટ્સ માટે $60 ચાર્જ કરવામાં આવશે. આફ્રિકાના રૂટ માટે $130 ની વધારાની ફી વસૂલવામાં આવશે, જ્યારે યુકે સહિત યુરોપની ફ્લાઇટ્સ માટે $205 ચાર્જ કરવામાં આવશે. વધુમાં, એરલાઈને જણાવ્યું હતું કે ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની લાંબા અંતરની ફ્લાઈટ્સના મુસાફરોએ $280 ની ફી ચૂકવવી પડશે.
એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય રૂટ પર લાદવામાં આવેલ ફ્યુઅલ સરચાર્જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે જેટ ઈંધણના ભાવમાં નોંધપાત્ર વધારાની ભરપાઈ કરી શકતા નથી. તેથી, એર ઈન્ડિયા આ વધેલા ખર્ચનો મોટો હિસ્સો સહન કરવાનું ચાલુ રાખે છે.”

