પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે IPL 2026ની હરાજી પહેલા મોટા ખેલાડીઓને છોડવાના નિર્ણય અંગે વાત કરી છે. 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી IPLની હરાજીમાં કુલ 350 ક્રિકેટરોની હરાજી કરવામાં આવશે, જેમાં 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. પંજાબ કિંગ્સે 16 ડિસેમ્બરે યોજાનારી IPL 2026ની હરાજી પહેલા ગ્લેન મેક્સવેલ, એરોન હાર્ડી અને જોશ ઈંગ્લિસને રિલીઝ કર્યા હતા.
સૌથી મોટો આંચકો ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની બાદબાકીનો હતો. કોચ રિકી પોન્ટિંગે આ અંગે ખુલીને વાત કરી હતી. રિકી પોન્ટિંગે કહ્યું, “અમે ગ્લેન સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે. મને તે અને રમતમાં તેનું યોગદાન ગમે છે, પરંતુ કમનસીબે, ગયા વર્ષે અમે તેનામાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા ન હતા. પોન્ટિંગે વધુમાં કહ્યું કે, ફ્રેન્ચાઇઝીને લાગ્યું કે મેક્સવેલ આગામી સિઝનમાં તેમની શરૂઆતની XIનો ભાગ નહીં હોય, તેથી તેને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ પગલાથી ટીમનો ખર્ચ વધારવામાં મદદ મળી છે).
મેક્સવેલ ઉપરાંત યુવા ઓલરાઉન્ડર એરોન હાર્ડી અને વિકેટકીપર-બેટ્સમેન જોશ ઈંગ્લિસને પણ બહાર કરવામાં આવ્યા છે. પોન્ટિંગે કહ્યું કે, હાર્ડીને ગત સિઝનમાં રમવાની તક મળી ન હતી. કોચે સ્વીકાર્યું કે આવા પ્રતિભાશાળી ખેલાડીને જવા દેવા મુશ્કેલ છે, પરંતુ હરાજી માટે વિદેશી સ્લોટ ખાલી કરવાની જરૂર હતી. ઇંગ્લિસે છેલ્લી સિઝનના બીજા ભાગમાં કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ તેને છોડવાનું કારણ એ છે કે તે આગામી સિઝનમાં મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ રહેશે, જેના કારણે ટીમે તેને જવા દેવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો હતો.
આઈપીએલની એક રીલીઝ મુજબ, ખેલાડીઓની હરાજી માટે કુલ 1390 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. જે બાદમાં ઘટાડીને 1005 કરવામાં આવી હતી. આ ખેલાડીઓમાંથી અંતિમ 350 ખેલાડીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. IPLની 10 ફ્રેન્ચાઇઝી ટીમો આ 350 ખેલાડીઓમાંથી બાકીની 77 જગ્યાઓ ભરશે.

