બેંગલુરુ, રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અને ન્યૂઝ એન્કર અર્નબ ગોસ્વામીની મુશ્કેલીઓ વધી રહી છે. ફેક ન્યૂઝ ફેલાવવા બદલ વિવાદાસ્પદ પત્રકાર અર્નબ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. અર્નબની ચેનલ પર ચૂંટણી પહેલા અશાંતિ ફેલાવવાનો પણ આરોપ છે.
અહેવાલો અનુસાર, અર્નબ સિવાય કોંગ્રેસ પાર્ટીની ફરિયાદ પર રિપબ્લિક કન્નડના સંપાદક નિરંજન જે વિરુદ્ધ આ FIR નોંધવામાં આવી છે. ફરિયાદમાં બંને પર કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા પ્રત્યે ‘દ્વેષ ફેલાવવાના ઈરાદાથી ભ્રામક માહિતી ફેલાવવાનો’ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે એસજે પાર્ક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.
કૉંગ્રેસનો દાવો છે કે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા મૈસૂરમાં હતા ત્યારે ચેનલે વીડિયો ફૂટેજ બતાવ્યું હતું કે મુખ્ય પ્રધાનના કાફલાએ એમ્બ્યુલન્સનો રસ્તો રોક્યો હતો અને ટ્રાફિકને અવરોધ્યો હતો. કોંગ્રેસે એમ પણ કહ્યું કે ચેનલે વેરિફિકેશન વગર વીડિયો ચલાવ્યો. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું જાણી જોઈને કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના પ્રવક્તા લાવણ્યા બલ્લાલ જૈને આ અંગે X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘ફેક ન્યૂઝ બતાવવા બદલ રિપબ્લિકના અર્નબ ગોસ્વામી અને રિપબ્લિક કન્નડના એડિટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેઓએ એક વીડિયો ચલાવ્યો અને દાવો કર્યો કે કર્ણાટકના મુખ્યમંત્રીએ રસ્તા પર ટ્રાફિક અને એમ્બ્યુલન્સ અટકાવી દીધી હતી જ્યારે મુખ્યમંત્રી તે દિવસે તે માર્ગ પરથી પણ ગયા ન હતા, તે દિવસે તેઓ મૈસૂરમાં હતા.