ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સમાં રમાશે. આ પહેલા ગકેબરહામાં રમાયેલી બીજી T20માં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, વરસાદે તે મેચમાં વિક્ષેપ પાડ્યો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયાને ઘણું નુકસાન થયું હતું. પરંતુ હવે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર ત્રીજી મેચ માટે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર કરી શકે છે. શ્રેણી 1-1થી બરાબર કરવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે ત્રીજી T20 જીતવી પડશે.
જો પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફારની વાત કરીએ તો તે શુભમન ગિલ અને કુલદીપ યાદવના રૂપમાં હોઈ શકે છે. બીજી T20માં શુભમન ગિલને ઓપનર તરીકે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવ્યો હતો. દરમિયાન રુતુરાજ ગાયકવાડની તબિયત નાદુરસ્ત હોવાને કારણે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
ગાયકવાડની ગેરહાજરીમાં ગિલ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને પોતાનો બીજો બોલ રમતા જ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં ગાયકવાડ ત્રીજી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં હશે તે લગભગ નિશ્ચિત છે. અગાઉ, ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20 શ્રેણીની ત્રીજી મેચમાં ગાયકવાડે 123* રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન સૂર્યા ગાયકવાડના શાનદાર ફોર્મને કોઈપણ કિંમતે અવગણી શકે નહીં.
રવિ બિશ્નોઈની વાપસીની પુષ્ટિ, કુલદીપનું કાર્ડ કપાઈ શકે છે
હાલમાં ટી20 ઈન્ટરનેશનલમાં નંબર વન બેટ્સમેન રવિ બિશ્નોઈ છેલ્લી મેચમાં રમ્યો નહોતો. બિશ્નોઈની જગ્યાએ કુલદીપ યાદવ પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળ્યો હતો. કુલદીપે 3 ઓવરમાં 26 રન આપ્યા અને એક વિકેટ લીધી. પરંતુ હવે એ લગભગ નિશ્ચિત છે કે બિશ્નોઈ ત્રીજી અને છેલ્લી ટી-20માં ચાઈનામેન કુલદીપનું સ્થાન લેશે.
ત્રીજી T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ/રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.