મણિપુરમાં જાતિય હિંસાએ રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારને પણ હચમચાવી દીધી હતી. હિંસાગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે પ્રવાસ પર આવ્યા હતા.
તે જ સમયે, હવે મણિપુર સરકારે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે મણિપુરમાં જાતિય હિંસામાં ઓછામાં ઓછા 98 લોકોએ જીવ ગુમાવ્યો અને 310 અન્ય ઘાયલ થયા. ત્યારે આ બધાની વ્ચ્ચે છેલ્લા 24 કલાકમાં પોમ્બીખોકમાંથી હિંસાની ફરી ઘટના સામે આવી છે. જો કે આ દરમિયાન કોઈ જાનહાની થઈ નથી.
તાજેતરમાં મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં હથિયારો અને બોમ્બથી સજ્જ કુકી આતંકવાદીઓએ બે ગામો પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે.
રાજ્ય પોલીસ અને મણિપુર રાઈફલ્સના જવાનોએ ફાયેંગ અને કાંગચુપ ચિંગખોંગના બે ગામોમાં તૈનાત પણ જવાબી કાર્યવાહી કરી હતી. શુક્રવારે રાત્રે ચાર કલાકથી વધુ સમય સુધી બંને તરફથી ગોળીબાર થયો હતો. આ અથડામણમાં, પોલીસે આતંકવાદીઓનો નજીકના પહાડોમાં પીછો કર્યો.
મણિપુરમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળી ત્યારથી આગજનીના કુલ 4,014 કેસ નોંધાયા છે. હિંસામાં મૃત્યુઆંક 98 છે અને ઘાયલોની સંખ્યા 310 છે. નિવેદનમાં જણાવાયું છે કે છેલ્લા એક મહિનામાં, રાજ્ય પોલીસે 3,734 કેસ નોંધ્યા છે અને હિંસામાં કથિત સંડોવણી બદલ 65 લોકોની ધરપકડ કરી છે.
સેના, આસામ રાઇફલ્સ, CAPF અને સ્થાનિક પોલીસને સંવેદનશીલ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોની 84 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
ચુરાચંદપુરમાં કુકીઓ હજી સુધી મેઇટી સાથેના સંઘર્ષમાં મૃત્યુ પામેલાઓને દફનાવી શક્યા નથી. કિપજેનની હત્યાને 29 દિવસ થઈ ગયા છે, પરંતુ ચુરાચંદપુરમાં તેનો પરિવાર હજુ પણ તેના મૃતદેહની રાહ જોઈ રહ્યો છે.
હિંસા શરૂ થઈ ત્યારથી ચુરાચંદપુર અને ઈમ્ફાલ વચ્ચેની વાતચીત લાઈનો બંધ થઈ ગઈ હોવાથી, પરિવારોને મૃતદેહોને યોગ્ય રીતે દફનાવવામાં કેટલો સમય લાગશે તેની ખાતરી નથી.