મનોજ મુન્તાશીરે હાથ જોડીને માફી માંગી
મનોજ મુન્તાશીરે આદિપુરુષ માટે લખેલા સંવાદો માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે મનોજે પોતાના ટ્વિટર પર લખ્યું છે કે, હું સ્વીકારું છું કે આદિપુરુષ ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારા તમામ ભાઈઓ અને બહેનો, વડીલો, આદરણીય ઋષિઓ અને શ્રી રામના ભક્તોની હું હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા બધાને આશીર્વાદ આપે, આપણને એક અને અતૂટ રહેવાની અને આપણા પવિત્ર શાશ્વત અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે!