જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. સોમવારે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે સૌપ્રથમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. જે બાદ ફ્લાઈટ દ્વારા લખનઉ પહોંચ્યા. જ્યાંથી તેઓ એસપી ઓફિસ પહોંચ્યા અને અખિલેશ યાદવને મળ્યા.
કહેવામાં આવી રહ્યું છે કે અખિલેશ અને નીતીશ કુમારની આ મુલાકાત 2024ની લોકસભા ચૂંટણી માટે ઘણી મહત્વની છે. લોકસભાની 543 બેઠકોમાંથી 120 બેઠકો એકલા યુપી અને બિહારમાંથી જાય છે. નીતિશ કુમાર-તેજશ્વી યાદવ બિહારના દિગ્ગજ નેતાઓ છે.
બીજી તરફ અખિલેશ યાદવ યુપીના રાજકારણનો મોટો ચહેરો છે. આવી સ્થિતિમાં નીતીશ કુમાર ભાજપ વિરુદ્ધ ત્રીજો મોરચો બનાવવાની કવાયતમાં લાગેલા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ હાજર હતા. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નીતિશ કુમાર વિપક્ષી પાર્ટીઓને એક કરવાની કવાયતમાં લાગેલા છે.
2019 માં, લોકસભા ચૂંટણી દરમિયાન, ભાજપે બંને રાજ્યોમાં 79 લોકસભા બેઠકો જીતી હતી. જેડી(યુ) એ ત્યારપછી ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન છોડી દીધું છે અને આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે ગઠબંધનમાં બિહારમાં સરકાર બનાવી છે.