એક યૂઝરે ગાયકને પસૂરી ગીતને મળી રહેલા રિસ્પોન્સથી દુઃખી ન થવાનું કહ્યું. તેણે કહ્યું, “હું જાણું છું કે તમે ‘પસૂરી’ ગીત માટે જે પ્રતિક્રિયાઓ મેળવી રહ્યા છો તેનાથી તમે દુઃખી છો, તમે રિમેક ગાવા માટે દોષિત અનુભવો છો, કારણ કે લોકો હંમેશા સરખામણી કરે છે. પરંતુ મારા પર વિશ્વાસ કરો ગીતનો એક અલગ અર્થ છે અને તે ખરેખર સરસ છે,” અરિજિતે જવાબ આપ્યો, “ના, ના, હું હંમેશા જાણતો હતો કે તેની પ્રતિક્રિયા આવશે, અને હું બિલકુલ ઉદાસ નથી.”