આ ફિલ્મ જોયા બાદ વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કર્યું કે, આદિપુરુષને જોયા પછી મને ખબર પડી કે કટ્ટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો. સેહવાગનું આ ટ્વિટ ફેન્સમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સંવાદોથી લઈને ઘણી ઘટનાઓમાં ફેરફારને કારણે ફિલ્મ નિર્માતાઓ અને નિર્દેશકોને સતત ચાહકોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર આદિપુરુષ ફિલ્મનું બજેટ 600 કરોડની આસપાસ હતું. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મમાં સીતાની ભૂમિકા અભિનેત્રી કૃતિ સેનન ભજવી રહી છે, જ્યારે સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. 600 કરોડમાં બનેલી આ ફિલ્મને અપેક્ષા હતી તેટલી સફળતા મળી નથી, આ ફિલ્મમાં વપરાયેલા સંવાદોની ઘણી ટીકા થઈ રહી છે.