ઘણા લોકોને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના કારણે લોકોને અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રાત્રે ઉંઘ ન આવવાના કારણે વ્યક્તિને શારીરિક અને માનસિક બંને રીતે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આજે અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જેના કારણે વ્યક્તિને આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર વિટામિનની ઉણપને કારણે વ્યક્તિને ઊંઘ નથી આવતી. આ સમસ્યા વિટામિન ડીની ઉણપને કારણે થાય છે. વિટામિન ડી મગજના અમુક વિસ્તારો માટે રીસેપ્ટર્સ પર કાર્ય કરે છે. તે મેલાટોનિન હોર્મોન માટે ફાયદાકારક છે.
વિટામિન ડીથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ. વિટામિન ડીથી સમૃદ્ધ ખોરાકમાં દૂધ, ઈંડા અને મશરૂમનો સમાવેશ થાય છે. બીજી તરફ, વ્યક્તિએ સવારે વહેલા ઉઠવું જોઈએ અને સૂર્યપ્રકાશનું સેવન કરવું જોઈએ.