કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ તમામની નજર રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેના પર ટકેલી છે. આ સાથે જ મુખ્યમંત્રી કોણ બનશે તે અંગેની સસ્પેન્સ લગભગ સમાપ્ત થતી જણાઈ રહી છે. હવે . આવી રહ્યા છે કે સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી હશે અને ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકમાં સરકાર બનાવવા માટે સર્વસંમતિ પર પહોંચી ગયા છે. તે જ સમયે, કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ની બેઠક આજે (18 મે) સાંજે 7 વાગ્યે બેંગલુરુમાં બોલાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 20 મેના રોજ બેંગલુરુમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના કેન્દ્રીય નિરીક્ષકોને CLP બેઠક માટે બેંગલુરુ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા બુધવારે કોંગ્રેસના કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી આજે કે કાલે નક્કી કરવામાં આવશે અને 72 કલાકમાં નવી કેબિનેટની રચના કરવામાં આવશે.