રવિવારે બપોરે 2.30 વાગ્યે ચુરુ-સાલાસર સ્ટેટ હાઈવે પર આ અકસ્માત થયો હતો. જ્યારે પુરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ પછી કાર અને ટ્રકમાં આગ લાગી હતી. કારમાં ગેસ કીટ હતી અને ટ્રક મેડિકલ કોટનથી ભરેલી હતી. આગના કારણે કારનો દરવાજો ખુલી શક્યો ન હતો અને તેમાં મુસાફરી કરી રહેલી ત્રણ મહિલાઓ, બે બાળકો અને બે પુરૂષ બળીને ખાખ થઈ ગયા હતા.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડઃ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 17 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ સીજેઆઈ ચંદ્રચુડને પત્ર લખીને ન્યાયિક વ્યવસ્થા પર આ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.