કેનેડા સરકાર ભારતના તમામ એજન્ટોને ગ્રેડ આપવા જઈ રહી છે. નવા ફેરફારમાં કેનેડા સરકારે નિર્ણય લીધો છે કે જે સ્ટડી ઈમિગ્રેશન કંપનીઓ પ્રમાણિકતાથી સારું કામ કરશે તેમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને આવી સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઝડપથી વિઝા આપવામાં આવશે. આવી સંસ્થાઓની ઓળખ કરીને તેમની પાસેથી અરજી કરનાર વિદ્યાર્થીઓએ લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે..
કેનેડા સરકારે આ નિર્ણય લીધો છે કારણ કે કેટલાક એજન્ટોએ કોલેજોમાંથી નકલી પત્રો બનાવવાનું શરૂ કર્યું હતું અને તાજેતરમાં 103 વિદ્યાર્થીઓની ફાઇલોમાં નકલી પત્રો મળી આવ્યા હતા. નવા વિઝા નિયમો હેઠળ, કેનેડાની કોઈપણ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સ્ટડી પરમિટ જારી કરવામાં આવે તે પહેલાં તે કોલેજ અથવા યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પત્રની ચકાસણી કરવામાં આવશે. ત્યાંથી વેરિફિકેશન કર્યા બાદ જ વિદ્યાર્થીઓને સ્ટડી વિઝા આપવામાં આવશે..
કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે કહ્યું કે કેટલીકવાર વિદ્યાર્થીઓને પણ આ અંગે કોઈ પણ છેતરપિંડીની જાણ હોતી નથી. આ સ્થિતિમાં અમે વિદ્યાર્થીઓને મદદ કરીશું. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે અમે છેલ્લા કેટલાક સમયથી ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મળ્યા અને તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેમણે વધુમાં એ પણ કહ્યું કે ઈમાંદારી થી આવેલા વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં જ્યારે ગોટાળા કરીને વિદેશ પહોંચેલા વિદ્યાર્થીઓને કેનેડામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ માટે ટ્રાવેલ એજન્ટોનું ગ્રેડિંગ કરવામાં આવશે. કારણ કે આ સમગ્ર ખેલ એજન્ટો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે..
IRCC ટાસ્ક ફોર્સ પહેલાથી જ નકલી એડમિટ કાર્ડ ધરાવતી 1500 થી વધુ વિદ્યાર્થી વિઝા અરજીઓની ઓળખ કરી ચૂકી છે. તેમાંથી 450 વિદ્યાર્થીઓ નકલી એડમિટ કાર્ડની મદદથી કેનેડા પહોંચ્યા હતા. તેમાંથી 263 કેસની તપાસ ચાલી રહી છે, જેમાંથી 63 કેસ અસલી અને 103 કેસ નકલી હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી લગભગ 25 કેસ પંજાબના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છે. હવે નકલી વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે..
ખાસ કરીને જલંધરના વિઝા કન્સલ્ટન્ટ દ્વારા મોકલવામાં આવેલા 700 વિદ્યાર્થીઓનો જે સમગ્ર મામલો છે તે એક અલગ કેસ છે, જેની અલગથી તપાસ કરવામાં આવી રહી છે. આગામી મહિનાઓમાં, IRCC પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ માપદંડનું મૂલ્યાંકન પૂર્ણ કરશે અને તેને કેનેડિયન બજારની જરૂરિયાતો સાથે વધુ સારી રીતે સરખાવી તેમજ ઇમિગ્રેશન લક્ષ્યોને પૂર્ણ કરવા સુધારાઓ જરૂરી સુધારાઓ કરવામાં આવશે.