નવી દિલ્હી: 5 એપ્રિલ (A) ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે લોકસભા ચૂંટણી માટે બહાર પાડવામાં આવેલા કોંગ્રેસના ઢંઢેરાને ‘જૂઠાણાનું બંડલ’ ગણાવ્યું અને આરોપ લગાવ્યો કે દાયકાઓ સુધી દેશ પર શાસન કરનાર પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે તેના ઢંઢેરામાં આપેલા વચનોમાંથી એકપણ વાયદો પૂરો કર્યો નથી.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ અહીં પત્રકારોને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ મતદારોમાં ભ્રમણા ઉભી કરવા અને તેમને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારનો ચૂંટણી ઢંઢેરો લઈને આવી છે.