ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ ભારતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પન્નુની ભારતમાં આવેલી વિવિધ સંપત્તિ જપ્ત કરવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ પહોંચી ગઈ છે. પન્નુ શીખ ફોર જસ્ટિસના ચીફ છે. તે ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. પન્નુ દરરોજ ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે. કેનેડામાં ખાલિસ્તાન ચળવળને ગુપ્ત રીતે આગળ વધારવામાં આવી રહી છે. ભારતમાં તેની સામે આતંકવાદ વિરોધી કલમો હેઠળ કેસ નોંધાયેલા છે. પન્નુએ તાજેતરમાં જ કેનેડામાં રહેલા ભારતીયોને ધમકી આપી છે કે, હિન્દુ કેનેડા છોડીને ચાલ્યા જાય.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ પન્નુ સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પાડવા પહોંચી હતી. એજન્સીની ટીમ અમૃતસર અને ચંદીગઢમાં આવેલી પન્નુની સંપતિને ટાંચમાં લેવા માટે હાજર છે. તેનાથી સંબંધિત સ્થળોની શોધ કરવામાં આવી રહી છે. પન્નુની જમીનો અમૃતસરમાં અટેચ કરવામાં આવી છે. ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ બાદ ગુરપતવંત પન્નુ ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે જસ્ટિન ટ્રુડોના ભારત વિરોધી નિવેદનોની પ્રશંસા અને સ્વાગત કર્યું. પન્નુએ કેનેડામાં રહેતી હિન્દુ વસ્તીને પણ ધમકીઓ આપી છે. તેને કેનેડા છોડવાની ચેતવણી આપવામાં આવી હતી. ભારતીય તપાસ એજન્સી વર્ષોથી પન્નુને શોધી રહી હતી. કોર્ટના આદેશો પર, NIAએ ચંદીગઢમાં પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સ્થાપક અને નિયુક્ત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના ઘરની બહાર મિલકત જપ્તીની નોટિસ ચોંટાડી છે.