નાગિન 7 નો નવો પ્રોમો
જ્યારથી નાગિન 7 નો નવો પ્રોમો આવ્યો છે ત્યારથી ચાહકોના મનમાં ઉત્તેજના જાગી છે કે નાગિન કોણ બનશે. જણાવી દઈએ કે એકતા કપૂરનો શો નાગિન વર્ષ 2015માં શરૂ થયો હતો. ત્યારથી ઘણી અભિનેત્રીઓ તેનો ભાગ બની ચુકી છે. તેની શરૂઆત મૌની રોય નાગિન બનવાથી થઈ અને પછી સુરભી જ્યોતિ, નિયા શર્મા, સુરભી ચંદના અને હવે તેજસ્વી પ્રકાશ સુધી પહોંચી. વર્ષોથી અદા શર્મા, જાસ્મીન ભસીન, કરિશ્મા તન્ના અને અન્ય અભિનેત્રીઓ પણ આ શોમાં જોવા મળી હતી.