સુકુ ગળું: આજકાલ હવામાન સતત બદલાઈ રહ્યું છે. વરસાદી માહોલ વચ્ચે સવારના સમયે ગુલાબી ઠંડકનો અહેસાસ થાય છે. બદલાતા હવામાનમાં ઘણા લોકો શરદી, ખાંસી અને ગળામાં ખરાશ જેવી સમસ્યાઓથી પીડાય છે. ખાસ કરીને જ્યારે ગળામાં દુ:ખાવો હોય ત્યારે વ્યક્તિને રોજનું કામ કરવાનું મન થતું નથી અને ખાવા-પીવામાં તેમજ બોલવામાં તકલીફ થાય છે. જ્યારે ગળામાં ખરાશની સમસ્યા તમને પરેશાન કરે છે ત્યારે કેટલાક ઘરેલું ઉપચાર અસરકારક સાબિત થાય છે. ગળામાં ખરાશની સ્થિતિમાં આ વસ્તુઓને પાણીમાં ઉમેરીને ગાર્ગલ કરવી જોઈએ. દિવસમાં બેથી ત્રણ વખત આ રીતે ગાર્ગલ કરવાથી ગળાના દુખાવામાં તરત રાહત મળે છે.
હળદર અને મીઠું
હળદર એક એવો મસાલો છે જે ઘણી સમસ્યાઓ માટે દવાની જેમ કામ કરે છે. મીઠું પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે ગરમ પાણીમાં હળદર અને મીઠું ઉમેરીને ગાર્ગલ કરો તો તેનાથી ગળામાં સોજો ઓછો થશે અને દુખાવામાં રાહત મળશે.
ત્રિફળા
ત્રિફળા એક આયુર્વેદિક ઔષધિ છે જેમાં બળતરા વિરોધી ગુણો છે. હૂંફાળા પાણીમાં ત્રિફળાનો કોગળા કરવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે. જો કોઈના ગળામાં ટૉન્સિલ હોય અને તેનાથી પરેશાન હોય તો પણ આ ઉપાય અસરકારક સાબિત થાય છે.
તુલસીનો છોડ
તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તુલસી એક ઉત્તમ ઔષધિ છે. તે શરદી અને ઉધરસમાં પણ ખૂબ અસરકારક સાબિત થાય છે. આ માટે તુલસીના પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળો અને જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેનાથી ગાર્ગલ કરો.