નવી દિલ્હીઈ-કોમર્સ કંપની એમેઝોનના ગ્રાહકો હવે કેશ ઓન ડિલિવરી સેવા હેઠળ તેમના એમેઝોન પે એકાઉન્ટને રિચાર્જ કરવા માટે રૂ. 2,000ની નોટનો ઉપયોગ કરી શકશે. 2000 રૂપિયાની નોટ બદલવામાં લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને કંપનીએ આ સુવિધા શરૂ કરી છે. કંપનીએ કહ્યું કે ગ્રાહકો એક મહિનામાં તેમના એમેઝોન પે એકાઉન્ટમાં રૂ. 2,000ની નોટ સહિત વધુમાં વધુ રૂ. 50,000 જમા કરાવી શકે છે.
ઘરે બેઠા એમેઝોન પે રિચાર્જ કરવાની સુવિધા ગ્રાહકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 2,000 સુધીનો ખર્ચ કરવામાં મદદ કરશે. એમેઝોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જો સ્ટોર્સ પર ચૂકવણી કરવા માટે રૂ. 2,000ની નોટ સ્વીકારવામાં ન આવે તો ચિંતા કરશો નહીં.” તમે તમારા આગલા કેશ-ઓન-ડિલિવરી ઓર્ડર પર અમારા એજન્ટને નોંધ આપી શકો છો. ભારતીય રિઝર્વ બેંકે 19 મેના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ નોટ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે નહીં તો બેંકમાં જઈને બીજી નોટ બદલી શકાશે.