મહારાષ્ટ્રના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભૂજબળે મરાઠા નેતા મનોજ જારાંગે પાટીલ પર વળતા પ્રહારો કર્યા છે. અંબાડમાં આયોજિત ઓબીસી અલ્ગાર પરિષદની રેલીમાં તેમને જારાંગેની કડક શબ્દોમાં આલોચના કરી છે. તેમને જારાંગે વિશે બોલતા કહ્યું કે હું પોતાની મહેનતનું ખાવું છું, તમારી જેમ સાસુના ઘરનું ખાતો નથી પણ જારાંગેએ પલટવાર કરતા આરોપ લગાવ્યો કે ભુજબળની ભાષા નિમ્ન કક્ષાની છે અને તે ઉંમરલાયક થઈ ગયા છે.. જારાંગેએ આરોપ લગાવ્યો કે તે રાજ્યમાં માહોલ ખરાબ કરવા ઈચ્છે છે. તેમને એમ કહીને વાત ખત્મ કરી દીધી કે મરાઠા સમાજ હવે ભુજબળોને મહત્વ આપતુ નથી. જણાવી દઈે કે છેલ્લા કેટલાક દિવસથી ભુજબળ અને જારાંગે પાટિલની વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયુ છે. ભુજબળે જારાંગે પર હુમલો કરતા કહ્યું કે તે કહે છે કે આ ભુજબળ બે વર્ષ જેલની રોટલી ખાઈને આવ્યા છે. હા સાચુ છે હું જેલની રોટલી ખાઈને આવ્યો છું, ભુજબળ દિવાળીમાં પણ ડુંગળી-રોટલી ખાય છે. તમારી જેમ સાસુના ઘરે રોટલા ખાતો નથી..
છગન ભુજબળે અનામત મુદ્દા પર મનોજ જરાંગે પાટિલ પર હુમલો કર્યો. તેમને અનામતનો ઈતિહાસ પણ જણાવ્યો. શું તમે ખાઈ રહ્યો છો? આવો સવાલ છગન ભુજબળે પુછ્યો, છગન ભુજબળે હુમલો કરતા કહ્યું કે તે તેમના મગજની બહારની વાત છે. તેમને કહ્યું કે 7 જૂન 1993માં આજ ઝાલનામાં મહાત્મા ફૂલે સમતા પરિષદના લાખો લોકોની રેલી થઈ હતી. તે સમયે શરદ પવાર મુખ્યપ્રધાન હતા. રેલીમાં સીતારામ કેસરી, વિલાસરાવ દેશમુખ સહિત બધા જ હતા. તે સમયે અમે મંડળ કમિશન લાગુ કરવાની માંગણી કરી હતી.. તેમને કહ્યું કે શરદ પવારે આ જિલ્લાની માંગ પુરી કરવાનો વાયદો કર્યો છે. આજે ઘણા લોકો કહી રહ્યા છે કે શરદ પવારે ઓબીસીને અનામત આપી. અમને નુકસાન પહોંચાડ્યુ પણ તેવી વાત નથી. તેમને કહ્યું કે જ્યારે મંડળ કમિશને અનામત આપી. તેમ છતાં ઘણા લોકો કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટમાં 9 જ્જ બેઠા હતા. તેમાં પૂર્વ જસ્ટિસ પીબી સાવંત પણ હતા. આ વખતે કોર્ટે કહ્યું કે ઓબીસીનો મુદ્દો યોગ્ય છે અને તેમને અનામત આપવામાં આવવું જોઈએ. તેમને કહ્યું કે ત્યારે 201 જાતિઓને ઓબીસીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમને કહ્યું કે તેને સુપ્રીમ કોર્ટની મહોર વાગી હતી. ત્યારબાદ તેનો જીઆર જાહેર કરવામાં આવ્યો હતો.