જાપાનમાં ભૂકંપ બાદ સુનામીનો મોટો ખતરો, લોકોને સુરક્ષિત સ્થળોએ જવા કહ્યું
ડિજિટલ ડેસ્ક- જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. આ ભૂકંપ આવતાની સાથે જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.ભૂકંપના કારણે મોટી વસ્તી પ્રભાવિત થઈ છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી છે.
વિદેશી મીડિયાના અહેવાલ મુજબ નવા વર્ષ પર ભૂકંપના આંચકા ટોક્યો અને કેન્ટો વિસ્તારમાં અનુભવાયા હતા. ભૂકંપ બાદ સુનામીને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સુનામીની ચેતવણી જારી કર્યા પછી, ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારોને શક્ય તેટલી વહેલી તકે નીકળી જવા માટે કહેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે ભૂકંપ બાદ સુનામી આવવાનો ખતરો છે. જાપાનમાં ભૂકંપ કેટલો ચિંતાજનક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 33 હજારથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ ઉપરાંત, સંવેદનશીલ અને ચિંતાજનક દ્રશ્યો વચ્ચે, ભારતીય દૂતાવાસ દ્વારા આપત્તિથી પ્રભાવિત લોકોની મદદ માટે એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે.