દેશના સૌથી મોટા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને તેની પાંખ NSE ક્લિયરિંગ (NCL) ફેબ્રુઆરી 2021માં એક્સચેન્જના પ્લેટફોર્મ પર ટેકનિકલ ખામીને કારણે રૂ. 72.6 કરોડ ચૂકવવા સંમત થયા છે. ટેકનિકલ ખામીને કારણે એક્સ્ચેન્જમાં ટ્રેડિંગ ચાર કલાકથી વધુ સમય માટે અટકાવવામાં આવ્યું હતું, જેના કારણે રોકાણકારો અને વેપારીઓને ભારે નુકસાન થયું હતું.
પતાવટના ભાગરૂપે, NSE અને NCL દરેક રૂ. 49.77 કરોડ રૂ. 22.88 કરોડ ચૂકવવામાં આવશે. 24 ફેબ્રુઆરી 2021 ના રોજ, ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા સેવા નિષ્ફળ થવાને કારણે NSE એ સવારે 11-40 થી બપોરે 3-45 વાગ્યા સુધી ટ્રેડિંગ સ્થગિત કરવું પડ્યું હતું. આવા અસાધારણ બંધથી બજારમાં એક પ્રકારની ગભરાટનો માહોલ સર્જાયો હતો. જેના કારણે વેપારીઓમાં ભારે પરેશાની જોવા મળી હતી. એક્સચેન્જે 15-મિનિટના પ્રી-ઓપન સેશન સાથે બપોરે 3:45 વાગ્યે ફરીથી કામગીરી શરૂ કરી. તે દિવસે, તમામ એક્સચેન્જોએ સાંજે 5 વાગ્યા સુધી કામગીરી લંબાવી હતી. માર્કેટ રેગ્યુલેટરે ઘટનાની તપાસ કરી અને એક્સચેન્જ અને તેના કર્મચારીઓને કારણ બતાવો નોટિસ જારી કરી.
પતાવટના ભાગરૂપે, NSE, NCL અને ત્રણ સત્તાવાળાઓએ ઓગસ્ટ 2021 અને સપ્ટેમ્બર 2021 વચ્ચે સેબીને અરજી કરી હતી. એનએસઈએ સેબીને આપેલા જવાબમાં ટેકનિકલ ખામીનો ઉલ્લેખ કર્યો છે.