ગુરુગ્રામ: 21 એપ્રિલ (A) હરિયાણાના ગુરુગ્રામના અર્જુન નગર વિસ્તારમાં સ્મશાનની દિવાલ ધરાશાયી થતાં શનિવારે એક સગીર છોકરી સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં.
પોલીસે જણાવ્યું કે સાંજે 6.20 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં બે લોકો ઘાયલ પણ થયા છે.
આ ઘટના સ્મશાન ભૂમિ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તસ્વીરમાં, અર્જુન નગર કોલોનીના કેટલાક રહેવાસીઓ સ્મશાનની બાઉન્ડ્રી વોલ પાસે ખુરશીઓ પર બેઠેલા જોઈ શકાય છે, જ્યારે અચાનક દિવાલ પડી જાય છે. તેમના ઘર સ્મશાનની પાછળ છે.
પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમાંથી ચાર દેવી દયાલ (70), કૃષ્ણા (52), મનોજ ગાબા (41) અને સગીર છોકરીને મૃત જાહેર કરવામાં આવી હતી.