દિલ્હી; નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને થઈ રહેલું રાજકારણ ઓછું થઈ રહ્યું નથી. વિપક્ષ પીએમ મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વિરોધ કરી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પીએમને બદલે રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. વિપક્ષ આ માંગ માટે એકત્ર થઈ ગયો છે, અને ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવા પર અડગ છે.
દિલ્હી- સંસદ ભવન ઉદ્દઘાટનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્ઘાટન કરવાની માગણી અરજી, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન અંગે SCમાં અરજી.#દિલ્હી pic.twitter.com/UhUsKVMSWQ
– ભારત સમાચાર | ભારત સમાચાર (@bstvlive) 25 મે, 2023
પરંતુ હવે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. SCમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે કે સંસદ ભવનનું ઉદ્ઘાટન પીએમ મોદીના બદલે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 માર્ચે થવાનું છે. આ અંગે સરકાર આમંત્રણ પત્રોનું વિતરણ કરી રહી છે. પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનું કહેવું છે કે કાર્યક્રમમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવું એ તેમનું અપમાન છે.
તે જ સમયે, ઓવૈસીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને ઉદ્ઘાટન ન કરવું જોઈએ. સંસદનું ઉદ્ઘાટન લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા કરવું જોઈએ, અત્યાર સુધી કોંગ્રેસ, એસપી, ડીએમકે, આરજેડી, આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષોએ પીએમ મોદી દ્વારા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.