અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફસાયેલા પંજાબના પૂર્વ મંત્રી સાધુ સિંહ ધરમસોતને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી હજુ સુધી રાહત મળી નથી. આ કેસમાં હાઈકોર્ટે નિયમિત જામીન માટે ધરમસોતે હાઈકોર્ટમાં કરેલી અરજી પર કોઈ આદેશ જારી કર્યા વિના સુનાવણી 16મી મે સુધી મુલતવી રાખી છે.
પંજાબ વિજિલન્સે અપ્રમાણસર સંપત્તિ કેસમાં એફઆઈઆર નોંધ્યા બાદ 6 ફેબ્રુઆરીએ ધરમસોતની ધરપકડ કરી હતી. મોહાલી કોર્ટે 5 માર્ચે ધર્મસોતની નિયમિત જામીનની માંગને રદ કરી હતી. વિજિલન્સની તપાસમાં ખુલાસો થયો હતો કે 1 માર્ચ 2016થી 31 માર્ચ 2022 સુધીની તપાસ દરમિયાન ધરમસોત અને તેમના પરિવારની આવક 2,37,12,596 હતી જ્યારે ખર્ચ 8,76,30,888 હતો.