પપૈયાના પાન: દર વર્ષે વરસાદની સિઝનમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થાય છે. ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી થાય છે, જે વરસાદની મોસમમાં ઝડપથી વધે છે. આ તાવ જીવલેણ પણ સાબિત થઈ શકે છે કારણ કે શરીરના પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે. ઘણી વખત પ્લેટલેટ્સ એટલા ઓછા થઈ જાય છે કે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. પપૈયાની મદદથી તમે પ્લેટલેટ કાઉન્ટ વધારી શકો છો.
પપૈયું એક એવું ફળ છે જે ડેન્ગ્યુના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. પપૈયા અને પપૈયાના પાન ડેન્ગ્યુના દર્દીની ઘટતી જતી પ્લેટલેટની સંખ્યાને ઝડપથી વધારવાનું કામ કરે છે. આયુર્વેદે પણ પપૈયાના પાનનો રસ પીવાના ફાયદા સમજાવ્યા છે. આયુર્વેદ અનુસાર પપૈયાના પાનનો રસ પીવાથી પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી વધે છે. તો ચાલો તમને જણાવીએ કે પપૈયાના પાનનો રસ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેના શું ફાયદા છે.
પપૈયાના પાનનો રસ કેવી રીતે બનાવશો?
સૌથી પહેલા પાંચથી છ પપૈયાના પાન લો અને તેને સારી રીતે સાફ કરી લો. હવે એક વાસણમાં એક ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં પપૈયાના પાન નાખો. થોડી વાર પાણીને ઉકળવા દો. ગ્લાસમાં અડધો ગ્લાસ પાણી રહી જાય એટલે ગેસ બંધ કરીને ગાળી લો. આ પાણી દર્દીને નવશેકું હોય ત્યારે જ પીવડાવો.
પપૈયાના પાનનો રસ ઝડપી અસર કરે છે. એક સંશોધન મુજબ, પપૈયાના પાનનું સેવન 24 કલાકથી ઓછા સમયમાં પ્લેટલેટ કાઉન્ટને ઝડપથી વધારી શકે છે. પપૈયાના પાંદડા પણ રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. આનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે, નબળા પાચનમાં પણ સુધારો થાય છે.