જમ્મુ/નવી દિલ્હી, 26 ઓક્ટોબર (A) પાકિસ્તાન રેન્જર્સે ગુરુવારે રાત્રે જમ્મુના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ભારતીય ચોકીઓ પર બિનઉશ્કેરણીજનક ગોળીબાર કર્યો. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
અધિકારીએ કહ્યું કે ભારતીય સૈનિકો પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ઉશ્કેરણી વગરના ગોળીબારનો ‘યોગ્ય’ જવાબ આપી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે છેલ્લી માહિતી મળે ત્યાં સુધી ગોળીબાર ચાલુ હતો.પ્રાપ્ત માહિતી અનુસાર ગોળીબારમાં કેટલાક BSF જવાનો ઘાયલ થયા છે, પરંતુ આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
BSFએ જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકો દ્વારા ગોળીબાર લગભગ રાત્રે 8 વાગ્યે શરૂ થયો હતો. BSFએ કહ્યું કે, ફાયરિંગ હજુ પણ ચાલુ છે.
તેમણે કહ્યું કે BSF સૈનિકોએ “અનઉશ્કેરણીજનક ગોળીબાર”નો યોગ્ય જવાબ આપ્યો. અધિકારીઓએ જણાવ્યું કે BSFના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.