ઈસ્લામાબાદઃ આ વખતે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનો જન્મદિવસ માત્ર તેમના માટે જ નહીં પરંતુ તમામ ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર અને ખૂબ જ ખાસ બની શકે છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા વર્લ્ડ કપ 2023ને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને મોકલવામાં આવેલા શેડ્યૂલ અનુસાર, 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન-ભારત મેચ યોજાય તેવી શક્યતા છે.
બાબર આઝમ 15 ઓક્ટોબરે પોતાનો 29મો જન્મદિવસ ઉજવશે, જ્યારે આ જ દિવસે પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્લ્ડ કપ મેચ પણ થઈ શકે છે.
The post એક જ દિવસે પાક ભારત ટકરા અને બાબર આઝમનો જન્મદિવસ News4 Gujarati.