પેલેસ્ટાઈનના રાજદૂત અલ્હાઈજાએ મદદની અપીલ કરી, ‘ભારતે પોતાની તાકાત બતાવવી જોઈએ’!
ડિજિટલ ડેસ્ક- છેલ્લા મહિનાઓથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે.આ વિસ્તારમાં હિંસાનો લાંબો ઈતિહાસ હોવા છતાં હમાસ અને ઈઝરાયેલ દ્વારા એકબીજા પર થતા હુમલાઓએ તેને અલગ સ્વરૂપ આપ્યું છે. હમાસે ઈઝરાયલની સીમામાં ઈઝરાયેલ પર 5000 મિસાઈલો છોડી હતી. ત્યારથી ઇઝરાયેલ ગાઝા પર હુમલો કરી રહ્યું છે અને તેને યુદ્ધ ગણાવી રહ્યું છે. જેના કારણે ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોના મોત થયા છે.15 લાખથી વધુ લોકો બેઘર બન્યા છે.
ગાઝા પર સતત હુમલા થઈ રહ્યા છે, આ બધા વચ્ચે પેલેસ્ટાઈનએ ભારતને મદદની અપીલ કરી છે. ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલહાઈજાએ બુધવારે પેલેસ્ટાઈનના લોકો માટે ચિંતા વ્યક્ત કરી હતી અને ભારતને અપીલ કરી હતી.આ અપીલમાં તેમણે કહ્યું હતું કે ભારતે યુદ્ધ સંઘર્ષ ખતમ કરીને પોતાની તાકાત બતાવવી જોઈએ. જેથી ઈઝરાયેલના હુમલાથી બચી શકાય.
ઉપરાંત, પેલેસ્ટાઈનના રાજદૂત અલ્હાઈજાએ કહ્યું કે ભારતે ઈઝરાયેલ અને હમાસના યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવી જોઈએ અને માનવતાવાદી સહાય માટે સરહદો ખોલવા ઈઝરાયેલ પર દબાણ કરવું જોઈએ. ગાઝા જેવા નાના શહેરમાં આવા નરસંહારને કારણે લોકોને ગંભીર બીમારીઓનો પણ ભય સતાવી રહ્યો છે.બધે મૃતદેહો પડ્યા છે.