લખનૌ; કોંગ્રેસ પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ કરી લીધી છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટી યુપીમાં મોટા ફેરબદલ કરવાની યોજના બનાવી રહી છે. અત્યાર સુધી રાયબરેલીથી ચૂંટણી લડી રહેલા સોનિયા ગાંધી સ્વાસ્થ્યના કારણોસર રાજ્યસભામાં જઈ શકે છે. તેઓ રાયબરેલીથી 4 વખત સાંસદ છે. હવે તેમના સ્થાને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.
પ્રિયંકા ગાંધીને યુપીમાં લોકસભા ચૂંટણી સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પ્રિયંકા ગાંધી પણ ટૂંક સમયમાં યુપી પ્રભારી પદ પરથી રાજીનામું આપી શકે છે. હવે તે રાયબરેલીથી ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી શકે છે. રાયબરેલી છેલ્લા કેટલાક દાયકાઓથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે.
ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી જેવા મોટા નેતાઓ રાયબરેલી બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. આ લોકસભા સીટ ગાંધી પરિવારનો ગઢ રહી છે. જો પ્રિયંકા ગાંધી અહીંથી લોકસભા ચૂંટણી લડે છે, તો તેઓ અહીંથી સાંસદ તરીકે ચૂંટણી લડનારા ગાંધી પરિવારના ચોથા સભ્ય હશે.