ગ્વાલિયર. મધ્યપ્રદેશના સિરોલ વિસ્તારમાં એક પૌત્રી પોતે જ તેના દાદાના મોતનું કારણ બની. તેના પ્રેમી સાથે ભાગી જવા માટે, યુવતીએ તેના દાદા-દાદીના નૂડલ્સમાં ઊંઘની ગોળીઓ ભેળવી હતી. જે બાદ બંનેની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી. હાલ પોલીસે આરોપી પૌત્રી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સિરોલ વિસ્તારમાં રહેતા કિશનલાલ સંખવાર અને તેની પત્ની કંથાશ્રી તેમના પુત્ર સોનુ અને પૌત્રી કાજલ સાથે રહેતા હતા.
કાજલને બંટી સંખવાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. એક દિવસ કાજલ તેના પ્રેમી સાથે ભાગી જવાની યોજના બનાવે છે. આ માટે તેણે એક દિવસ નૂડલ્સ બનાવી અને તેમાં ઊંઘની ગોળી નાખી.કાજલે આ મેગી તેના દાદા, દાદી અને તેમના પુત્ર સોનુને ખવડાવી. આ પછી કિશનલાલ સાંખવાર અને તેમની પત્ની કંથાશ્રીની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કિશનલાલનું મૃત્યુ થયું હતું અને તેમની પત્નીની હાલત નાજુક છે.