નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2024 ભાષણ આપતી વખતે લક્ષદ્વીપ પર્યટનને લઈને મોટી જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે સરકાર લક્ષદ્વીપ ટૂરિઝમ ઇન્ફ્રા ડેવલપમેન્ટ માટે ફંડ આપશે. આ માટે લક્ષદ્વીપમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત બાદ લક્ષદ્વીપ ચર્ચામાં છે. આ પછી તે સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ થવા લાગ્યો.
સ્થાનિક પર્યટન માટે ઉભરતા ઉત્સાહને સંબોધતા, નાણામંત્રીએ ઘણી મોટી જાહેરાતો કરી. નિર્મલા સીતારમણે કહ્યું કે તેઓ પોર્ટ કનેક્ટિવિટી અને ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રોજેક્ટ્સ લાવશે. આ સિવાય લક્ષદ્વીપની સાથે ઘણા ટાપુઓ પર સુવિધાઓ લાવવામાં આવશે. જેના કારણે રોજગારમાં પણ ઘણો વધારો થશે.