તામિલનાડુના કુડ્ડલોર જિલ્લાના મેલપટ્ટમપક્કમમાં સોમવારે સવારે બે બસો વચ્ચે સામસામે અથડામણમાં સાત લોકોના મોત થયા હતા અને 40 અન્ય ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને મહેસૂલ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
કુડ્ડલોર પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અથડામણ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માતમાં સામેલ લોકો સાથે વાત કર્યા બાદ જ ખબર પડશે કે ટક્કર કેવી રીતે થઈ. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, વિરોધ પક્ષના નેતા કે.કે. પલાનીસ્વામી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે.કે. અન્નામલાઈએ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો.