સ્પાઇસજેટની છટણી: મોંઘવારી અને રોજગાર સંકટ વચ્ચે વિશ્વમાં છટણીનો તબક્કો ચાલી રહ્યો છે, હવે ભારતમાં પણ છટણીની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં, ભારતની બજેટ એરલાઇન સ્પાઇસજેટે હજારો કર્મચારીઓની નોકરી કાપવાનો નિર્ણય કર્યો છે. કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી છે.
કંપનીએ આ નિર્ણય કેમ લીધો?
સ્પાઈસ જેટના જણાવ્યા અનુસાર, કંપનીએ ખર્ચ ઘટાડવાના ભાગરૂપે છટણી કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, સ્પાઈસજેટ 1,400 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે, જે કુલ કર્મચારીઓના લગભગ 15 ટકા છે. હાલમાં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 9 હજારની આસપાસ છે.
કંપની પાસે કેટલા એરક્રાફ્ટ છે?
કંપની પાસે હાલમાં 30 એરક્રાફ્ટનો કાફલો છે, જેમાંથી 8 લીઝ પર છે. રિપોર્ટ અનુસાર, છટણીના આ સમાચારની એરલાઈન્સ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે. કંપનીના તમામ કર્મચારીઓના પગારનું બિલ 60 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં કંપનીને ખર્ચ ઘટાડવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાની ફરજ પડી છે. આ છટણી પણ તેનો જ એક ભાગ છે.