નવી દિલ્હી/કરાચી
ભારતીય ટીમને ડેવિસ કપ ટેનિસ મેચ માટે પાકિસ્તાન જવાની પરવાનગી મળવાની આશા છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) એ આ જાણકારી આપી. એઆઈટીએ તાજેતરમાં રમત મંત્રાલય પાસેથી સલાહ માંગી હતી કે શું તેઓ 3-4 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં યોજાનારી વર્લ્ડ ગ્રુપ વન પ્લેઓફ માટે ટીમ મોકલી શકે છે.
એઆઈટીએના જનરલ સેક્રેટરી અનિલ ધૂપરે કહ્યું, ‘અમને હજુ સુધી લેખિત મંજૂરી મળી નથી, પરંતુ ટૂંક સમયમાં મળી જશે. અમને કહેવામાં આવ્યું છે કે આ દ્વિપક્ષીય શ્રેણી નથી અને તેનું આયોજન ITA દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેથી સરકાર આવી ટૂર્નામેન્ટમાં દખલ કરતી નથી. તેની એક પ્રક્રિયા છે. રમત મંત્રાલયે વિદેશ અને ગૃહ મંત્રાલયને વિનંતી મોકલી છે અને તેમના અભિપ્રાય પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમને ટૂંક સમયમાં મંજૂરી મળવાની આશા છે. અમે સ્પર્ધા અને પ્રવાસ માટે તૈયારી કરી રહ્યા છીએ.
દરમિયાન, પાકિસ્તાન ટેનિસ ફેડરેશન (PTF) એ શનિવારે કહ્યું કે તે ઇસ્લામાબાદમાં યોજાનારી ડેવિસ કપ ટાઈમાં AITA ખેલાડીઓ અને અધિકારીઓની ભાગીદારી અંગે અંતિમ પુષ્ટિની રાહ જોઈ રહ્યું છે. પીટીએફના પ્રમુખ સલીમ સૈફુલ્લાએ કહ્યું, ‘એઆઈટીએફએ અમને વિઝા માટે 11 અધિકારીઓ અને સાત ખેલાડીઓની યાદી મોકલી છે. અમે તેમના આગમનની અંતિમ પુષ્ટિની રાહ જોઈ રહ્યા છીએ. AITAએ કહ્યું છે કે તેઓ તેમની સરકાર પાસેથી પાકિસ્તાન પ્રવાસની પરવાનગી મેળવ્યા બાદ જ પુષ્ટિ કરશે.